Signal lights
પાટણ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા પાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ લાઈટો (Signal lights) નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ લાઈટો નાખવાની કામગીરી માટે પૂનાની નિકલોનિકસ નામની એજન્સીને કામગીરી સોંપી છે. આ કામગીરી માટે એજન્સીના એન્જીનીયર દ્વારા ચીફ ઓફિસરને સાથે રાખી સર્વે કર્યો હતો. 3 સ્થળો પર સિગ્નલ લાઈટો લાગશે.
પાટણના હાઇવે કરતા અંદર આવેલા મુખ્ય બગવાડા દરવાજાના 6 રસ્તા ,રેલવે સ્ટેશન વિસ્તાર, અને મુખ્ય બજારમાં હિંગળાચાચર 3 રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પાલિકા દ્વારા ત્રણેય મુખ્ય વિસ્તારોમાં સિગ્નલ લાઈટો નાખી ટ્રાફિક નિયમન થાય માટેનું આયોજન કર્યું છે. શુક્રવારે એજન્સીનીના એન્જીનીયર પાટણ આવી ચીફ ઓફિસરને સાથે રાખી સિગ્નલ લાઈટો નાખવા માટેનો સર્વે કર્યો હતો.
PM નરેન્દ્રભાઇ મોદી: કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે સુખ, સુવિધા અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય લાવશે.
ચીફ ઓફિસર પાંચાભાઇ મળીએ જણાવ્યું કે એજન્સીએ સર્વે કર્યો છે. બગવાડા, રેલવે સ્ટેશન 3 રસ્તા અને હિંગળાચાચર ચોક 3 સ્થળોએ સિગ્નલ લાઈટો લાગશે. કામગીરી પૂર્ણ થયા બાદ સિગ્નલ લાઈટોનું મોનીટરીંગનું કામ પોલીસ વિભાગને હસ્તક કરાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.