ભૂખમરો ભરડો લઈ ગયો છે પણ પાકિસ્તાન સુધરશે નહીં તે વાત પાક્કી

કાશ્મીરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની…તજેતરમાં થઈ રહ્યા છે વધુ પ્રમાણમાં આતંકી હુમલા… જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં થયા બંને આતંકી ઢેર…

કાશ્મીર અને ખીણ વિસ્તારમાં શાંતી ડોહળવી, ભારતમાં આતંકી હુમલા કરી અને ભારતને બદનામ કરવું તે પાકિસ્તાનનો જૂનો ધંધો છે.  ભલે પાકિસ્તાનની પ્રજાને ભૂખમરો ભરડો લઇ જાય કે ખાવા અન્નનો દાણો પણ ન હોય. ભલે પાકિસ્તાનમાં કોઇ પણ પક્ષ કે વ્યક્તિની સરકાર હોય પણ પાકિસ્તાનમાં સત્તા પર આવવા માટે ભારત વિરોધી હોવું તે પહેલી લાક્ષણીકતા માનવામાં આવે છે. પાકિસ્તાન આમ તો આતંકનો જન્મદાતા ગણવામાં આવે છે અને પાકિસ્તાન માટે હવે આતંકવાદ એક ધંધો બની ગયો છે. આતંકના ધંધોને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર ચાલે છે તેવું કહેવું અતિશયોક્તી નહીં કહેવાય. ગમે તે કારણ હોય પણ ભારત માટે પાકિસ્તાન અને પાકિસ્તાન મારફતે ફેલાવવામાં આવતો આતંકવાદ એક સૂળ સમાન છે અને તે સૂળ કાઢવી તે ભારતની અનિવાર્યતા છે. જો કે આતંકીઓનો કોઇ દેશ કે ધર્મ નથી હોતો અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા આતંકના સબુતો નહીંવત મળતા હોવાનાં કારણે પાકિસ્તાન હમેંશા ભારતના આક્ષેપો નકારતુ રહ્યું છે.

આ પણ વાંચો – રાજકોટમાં બે-બે હત્યાથી ચકચાર, યુવાનોમાં વધતો ક્રાઈમ રેટ ચિંતાનો વિષય

આંતકવાદ અને આતંકવાદીઓ હંમેશા ભારતનો ટાર્ગેટ રહ્યા છે અને હાલની સ્થિતિમાં જ્યારે ભારતને નવું ભારત તરીકે જોવામાં આવે છે ત્યારે ભારત પોતાની જમીન પર કરવામાં આવેલા તમામ આતંકી હુમલાનો મુહ્તોડ જવાબ આપે છે. હાલ થોડા દિવસોથી  કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું હોવાનું જોવામા આવે છે. હાલમાં જ સુરક્ષાદળોનાં કાફલાને આંતકીઓ દ્વારા નિશાન બનાવી ખાનખરાબી ફેલાવવાનો કારસો કરવામાં આવ્યો.

આ પણ વાંચો – આતંકી હુમલા સામે ‘એરસ્ટ્રાઇક’ તો મૌન સામે ‘શ્રધ્ધાંજલી સભા’; ભારત હવે બદલાઇ ચૂક્યું છે

ભારતની સેના દ્વારા ત્વરીત રીતે આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી કરવામાં આવી અને આતંકીઓનો સફાયો તે એક માત્ર રસ્તો કહેવાય, તેવી રીતે આતંકીઓની સફાઇ ચાલી રહી જ છે. હાલમાં જ કાશ્મીરમાં જ માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની હતા તેવા પ્રકારનો મોટો ધડાકો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે તાજેતરમાંસુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં મોટો ધડાકો સામે આવ્યો છે અને આ એન્કાઉન્ટરમાં લશ્કરના જવાનોના હાથે માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે.

Related Posts

ઈઝરાયલે ગાઝામાં યુદ્ધના નિયમોનું કર્યું ઉલ્લંઘન

ઈઝરાયલે ગાઝામાં યુદ્ધના નિયમોનું કર્યું ઉલ્લંઘન…UNHRCની તપાસમાં કરાયો મોટો દાવ Israel Violated Laws of War in Gaza…UNHRC Inquiry Makes Big Claim

આખા દેશમાં એક સાથે વીજળી ડૂલ; વિશ્વનાં અનેક દેશોની ચિંતામાં વધારો

એક આખો દેશ અંધકારમાં ડૂબ્યો… ઇક્વાડોર આખા દેશમાં બ્લેકઆઉટ… વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા… પાવર લાઈનમાં ફોલ્ટને કારણે દેશભરમાં અંધારાએ વિશ્વની આ મામલે ઉંઘ…

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024