વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 31 ઓક્ટોબરે 1 વર્ષ પૂર્ણ થયો છે. એક વર્ષ દરમિયાન 24 લાખથી વધુ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે. સ્ટેચ્યૂની વાર્ષિક આવક 63.69 કરોડ થઈ છે. આ રેવન્યુ દેશના ટોપ 5 સ્મારક કરતા સૌથી વધુ છે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશમાં સૌથી વધુ આવક મેળવનાર સ્મારક બની ગયું છે.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ) 2018ના આકંડા મુજબ ભારતના 5 મુખ્ય સ્મારકમાં સૌથી વધુ તાજ મહેલની વાર્ષિક આવક 56.83 કરોડ હતી, જે દરમિયાન 64.58 લાખ લોકોએ તાજ મહેલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બીજા ક્રમાંકે આગરા ફોર્ટની વાર્ષિક આવક 30.55 કરોડ, ત્રીજા ક્રમાંકે કુતબ મિનારની વાર્ષિક આવક 23.46 કરોડ, ચોથા ક્રમાંકે ફતેહપુર શિક્રીની વાર્ષિક આવક 19.04 કરોડ અને પાંચમાં ક્રમાંકે રેડ ફોર્ટની વાર્ષિક આવક 16.17 કરોડ થઈ હતી. ત્યારે 31 ઓક્ટોબર 2018 સ્ટેચ્યૂના લોકાર્પણ બાદ એક વર્ષમાં 63.69 કરોડ આવક થઈ છે તેમજ 24.45 લાખ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે.

31 ઓક્ટોબર 2018 ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું. ત્યારથી એક વર્ષમાં દેશ-વિદેશથી કુલ 24.45 લાખ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે. આથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને એક વર્ષમાં રૂ. 63.69 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 7 કરોડની આવક થઈ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024