તારક મહેતા ના ડૉ. હાથીનું હાર્ટ-અટેકથી દુખદ નિધન, જાણો પ્રોડ્યુસર સાથે છેલ્લે શું  કરી હતી વાત શુટિંગ કેન્સલ

ડૉ. હાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા 45 વર્ષીય કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  9 જુલાઈના રોજ સવારે તેમની તબિયત સારી નહોતી અને તેમણે અસિત મોદીને ફોન કરીને શૂટ પર નહીં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ પરિવાર તેમને મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ડોક્ટર્સે હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું કહીને તેમને મૃત જાહેર કર્યાં હતાં. કવિ કુમાર આઝાદે 2014માં વેઈટ લોસની સર્જરી કરાવી હતી. સર્જરી પહેલાં તેમનું વજન 254 કિલો હતું. સર્જરી બાદ તેમનું વજન 178 કિલો થઈ ગયું હતું.

‘તારક મહેતા..’માં નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવતા હતાં. જોકે, આ પાત્ર માટે કવિ કુમાર આઝાદે પણ ઓડિશન આપીને રાખ્યું હતું. નિર્મલ સોનીએ આ શોમાં એક વર્ષ કામ કર્યા બાદ તેમને રિપ્લેસ કરવામાં આવ્યા હતાં. તેમના સ્થાને કવિ કુમાર આઝાદને લેવામાં આવ્યા હતાં. કવિ કુમાર આઝાદ માટે આ રોલ સૌથી મોટો બ્રેક હતો. અભિનેતા બનવાનું સ્વપ્ન જોતા દરેક યુવકો આ દિવસની રાહ જોતા હોય છે. જોકે, તેનો અનુભવ છે કે સમય કરતાં પહેલાં અને કિસ્મતથી કંઈ વધારે ક્યારેય કોઈને મળતું નથી. પોતાની જાત પર તથા ભગવાન પર વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહો.

પ્રોડ્યુસર સાથે છેલ્લે શું કરી હતી વાત

સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ ઘણાં જ દુઃખ સાથે જણાવ્યું હતું, ”સીનિયર એક્ટર કવિ કુમાર આઝાદનુ નિધન થયું છે. તેઓ સીરિયલમાં ડૉ. હાથીનું પાત્ર ભજવતા હતાં.  તેઓ ઘણાં જ કમાલના એક્ટર હતાં. તેમને આ શો ઘણો જ પસંદ હતો. બીમાર હોવા છતાંય તેઓ શૂટિંગ માટે આવતા હતાં. તેમણે  સવારે મને ફોન કરીને કહ્યું હતું કે આજે તબિયત સારી ના હોવાથી શૂટ પર આવશે નહીં અને પછી થોડા જ સમય માં  સમાચાર મળ્યા કે તેમનું નિધન થયું છે.”

ડૉ. હાથી કરી હતી આ ટ્વિટ
થોડા દિવસ પહેલા જ કવિ કુમાર આઝાદે પોતાના ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેના નીચે તેમણે લખ્યું હતું કે, કોઈએ કહ્યું છે કે કલ હો ના હો, હું કહું છું કે પલ હો ના હો. દરેક પળ જીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024