- દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે મોટો નિર્ણય લીધો છે.
- કેબિનેટ બેઠકમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની અંતર્ગત આવતી હોસ્પિટલ અને દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થશે.
- કેન્દ્ર સરકારની હોસ્પિટલ જેવી કે એમ્સ, સફદરજંગ અને રામ મનોહર લોહિયામાં તમામ લોકોની સારવાર થઇ શકશે.
- તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલમાં જે સ્પેશ્યલ સર્જરી થાય છે જે બીજે કયાંય થતી નથી તેને કરાવા માટે દેશભરમાંથી કોઇપણ દિલ્હી આવી શકે છે.
- કેજરીવાલે કહ્યું કે પાંચ ડૉકટર્સની કમિટી બનાવી હતી તેમને માન્યું કે હાલ બહારના દર્દીઓને રોકવા પડશે.
- આ પણ જુઓ : International News – વિદેશ મંત્રાલય : ભારત અને ચીન શાંતિપૂર્વક સરહદીય વિવાદ ઉકેલવા થયા સહમત.
- અત્યારે દિલ્હીમાં સમસ્યા છે આવી સ્થિતિમાં આખા દેશ માટે હોસ્પિટલ ખોલી દઇએ તો દિલ્હીના લોકો કયાં જશે.
- કેજરીવાલના મતે કમિટીએ કહ્યું કે દિલ્હીને જૂનના અંત સુધીમાં 15000 કોવિડ બેડ જોઇશે. હાલ દિલ્હીની પાસે 9000 બેડ છે.
- તેથી જો હોસ્પિટલ બધા માટે ખોલી દેવામાં આવે તો 9000 ત્રણ દિવસમાં ભરાઇ જશે.
- કેજરીવાલે કહ્યું કે 7.5 લાખ લોકોએ તેમને સૂચનો મોકલ્યા જેમાંથી 90% એ કહ્યું કે કોરોના સુધી દિલ્હીની હોસ્પિટલ દિલ્હીવાળાઓ માટે હોવી જોઇએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News