Oxford Corona vaccine

Corona vaccine

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણ (Corona vaccine) બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. આવામાં કોવિડ-19 રસીકરણ શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં. 

દેશમાં બહુ જલદી કોરોના રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના એક નિવેદ એક સવાલના જવાબમાં કહ્યું કે જ્યારે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવે તો કેટલાક લોકોમાં તેની ઉલ્ટી અસર પણ જોવા મળી શકે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે “રસીકરણ બાદ કેટલીક ગડબડીઓ સામે આવવી એક ચિંતાજનક વિષય છે. જ્યારે આપણે વ્યાપક રસીકરણ અભિયાન કાર્યક્રમ ચલાવીએ છીએ જે દાયકાઓથી ચાલતું આવ્યું છે, તો રસી લગાવ્યા બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કેટલાક ઉલ્ટા પ્રભાવ જોવા મળી જાય છે.”

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024