રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે લગ્ન પહેલા માતમ છવાયો…
દીકરાની જાન જવાની તૈયારી હતી તેવા સમયે પંખાથી શોર્ટ લાગતા માતાનું મોત…
પાટણના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહેલા માતા પરમાર ધનીબેન ભાનુભાઇ ઉંમર વર્ષ 48 નું પંખાથી શોર્ટ લાગવાના કારણે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે સમયે વરરાજાના માતાને પંખામાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
ત્યારે મૃતદેહને પી.એમ. અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.