વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.કોવિડમાં માતા કે પિતા ગુમાવનાર ૩પ વિદ્યાર્થીઓને આ યુનિવર્સીટી દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ યુનિવર્સીટી ની વિવિધ વિદ્યા શાખામાં કોવિડમાં માતા કે પિતા ગુમાવનાર કુલ ૩પ વિદ્યાર્થીઓ એ પ્રવેશ લીધો છે.આ વિદ્યાર્થીઓની યુનિવર્સીટી દ્વારા ૧૯ લાખ રૂપિયા ફી માફ કરવામાં આવી છે.
જ્યારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે યુનિવર્સીટી દ્વારા પ૦ ટકા સુધી ની ફી માફી આપવામાં આવી છે.આવા ૧૧પ વિદ્યાર્થીઓને કુલ ૩૦ લાખ રૂપિયા ફી માફી આપવામાં આવી છે.
આમ યુનિવર્સીટી દ્વારા આ વર્ષ કુલ પ૦ લાખ રૂપિયા ફી માફી આપવામાં આવી છે.યુનિવર્સીટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા કોઈ વિદ્યાર્થી શિક્ષણ થી વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું.