આજકાલ ચહેરાની સુંદરતા વધારવા માટેના કેટલાય પ્રૉડ્કટ્સ બજારમાંથી મળી રહે છે.
કેટલાય પ્રૉડક્ટ્સની કીંમતો હજારોમાં છે, પરંતુ લોકો હજુ પણ તેને ખરીદવા માંગે છે. પરંતુ તમે ઘરેલૂ ટિપ્સ અજમાવીને ઘરે જ ચમકતો સુંદર ચહેરો હાંસલ કરી શકો છો.
નારિયેળ તેલ :
નારિયળનું તેલ ન માત્ર સૌથી સારી પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર છે પરંતુ તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ સામેલ છે. જે ત્વચાના દાઝી ગયેલા ભાગને ઠીક કરવામાં પણ મદદ કરે છે. નારિયેળ તેલના દરરોજના નિયમિત ઉપયોગથી ત્વચા નરમ અને મુલાયમ બને છે.
સૂરજમુખી તેલ :
સૂરજમુખીના તેલમાં વિટામિન ઇ,એ, સી અને ડીનું વધુ પ્રમાણ હોય છે. તેનાથી ત્વચાની સમસ્યા દૂર થઇ જાય છે.
ખીલ, છિદ્ર બંધ કરવા, અને ચહેરાના નિર્જલીકરણથી છૂટકારો મેળવવા માટે પણ અસરકારક છે. આ તેલમાં એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ હોય છે જે ઠીક લાઇન અને કરચલીઓને દૂર કરે છે.
દાડમનું તેલ :
દાડમનું તેલ મળવું થોડુંક અઘરું છે, પરંતુ તમે તેને ઑનલાઇન ઑર્ડર કરી શકો છો. તેમાં ઓમેગા 5, વિટામિન-કે, સી, બી6 અને પોટેશિયમ સામેલ છે. આ તેલ ત્વચા પર પડતી ઉંમરની અસરને ઓછી કરી દે છે. અને તમારી ત્વચા ગ્લો કરવા લાગે છે.
ઓલિવ ઓઇલ :
ઓલિવ ઑઇલમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણની સાથે-સાથે વિટામિન ઇ પણ હોય છે. ન માત્ર ત્વચાની ચમક વધારે છે પરંતુ ત્વચાને સ્વસ્થ પણ રાખે છે. ઑલિવ ઑઇલ જે ત્વચામાં સોજો અને ખીલની સમસ્યામાં મદદરૂપ થાય છે.
બદામનું તેલ :
બદામનું તેલ મોઇશ્ચરાઇઝિંગ ગુણવત્તામાં વિટામિન ઇ ચહેરાની ડ્રાયનેસને સમાપ્ત કરે છે. ચહેરાની ત્વચાને વધારે ગ્લૉઇંગ બનાવે છે. તમે આંખના કાળા કુંડાળાથી છૂટકારો મેળવી શકો છો.