- રાજકોટ ની પ્રિન્સીએજણાવ્યું હતું કે કે સમગ્ર શહેરને તાળાબંધી કરી દેવામાં આવી હતી ખાવા પીવાની પણ સમસ્યા થઈ ગઈ હતી.
- ચીનમાં કોરોના વાઇરસના કારણે 80થી પણ વધુ લોકોના મોત નીપજી ચુકયા છે.
- કોરોના વાઇરસનો એક કેસ ભારતની અંદર પણ જોવા મળ્યો છે. ચાઇના થી પરત આવેલી વિદ્યાર્થીની પ્રિન્સીએ જણાવ્યું હતું કે ભારત આવવા માટે સૌપ્રથમ ચાઇના એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે જેમાં બોડી ટેમ્પરેચર સહિત સ્કેનિંગ કરવામાં આવે છે. જો રિપોર્ટ દરમિયાન કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો એરપોર્ટ પરથી જ સીધા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે.’
- પ્રિન્સી ના માટે મુજબ ચીનથી આવતી તમામ ફ્લાઇટનાં પ્રવાસીઓનું ભારત આવતા એરપોર્ટ પર જ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે ત્યારબાદ જ એરપોર્ટ થી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે છે.
- ચીનમાં કોરોના વાઈરસને લીધે એરલાઇન્સ દ્વારા પણ એક પ્રકારની લૂંટ ચલાવવામાં આવી રહી છે. રેગ્યુલર દિવસોમાં દિલ્હીથી ચીનની રિટર્ન ફ્લાઇટના બજાર ભાવ 30,000 રૂપિયા છે. જ્યારે હાલ ચીનથી દિલ્હી આવવાના એક વખતના 26000 ભાડા પેટે ચૂકવવા પડી રહ્યા છે.
- પ્રિન્સી છેલ્લા એક વર્ષથી નાંચાંગ યૂનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. નાંચાંગ માં છેલ્લા પાંચ દિવસથી તમામ મોલ અને કેન્ટીન બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે જમવાની પણ અનેક તકલીફો સર્જાય છે.
- યૂનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા રૂમની બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જેમણે પણ પોતાના દેશમાં પરત ફરવું હોય તેમણે મેનેજમેન્ટને એક અરજી પણ કરવાની રહે છે ત્યારબાદ જ યુનિવર્સિટી છોડીને એરપોર્ટ જવાની અનુમતિ આપવામાં આવે છે.
- રાજકોટની યુનિવર્સિટીમાં કુલ ચાર વિદ્યાર્થીઓ મારી સાથે અભ્યાસ કરે છે જેમાંથી ત્રણ તો પહેલાથી જ રાજકોટ વેકેશનમાં પરત આવી ગયા છે જ્યારે મને પણ ડર લાગતા હું રાજકોટ પરત આવી ચુકી છું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News