IPL 2022
આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની 89મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે વર્ષ 2022થી આઈપીએલમાં કુલ 10 ટીમો રમશે. તેમજ તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને કોવિડ-19ને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર આપવામાં આવશે.
બીસીસીઆઈની AGM માં નવી બે ટીમોને મંજૂરી આપવાની જાહેરાત થઇ છે. આ જાહેરાતથી IPL 2022 ની સીઝનમાં ગુજરાતની ટીમ જોવા મળી શકે છે. અદાણી ગ્રુપ આ ટીમ ખરીદી શકે છે.
આ પણ જુઓ : સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર થયા
ઈપીએલ-2022માં નવી બે ટીમ સામેલ થવાની સાથે કુલ 94 મુકાબલા રમાશે. ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાને બોર્ડના ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.