મિદનાપુરમાં PM મોદીની રેલી દરમિયાન પંડાલ પડતા 25 લોકો ઘાયલ, હોસ્પિટલ પહોંચી મોદીએ ઈજાગ્રસ્તોના ખબર પુછી
મિદનાપુરમાં PM મોદીની રેલી દરમિયાન પંડાલ પડતા 25 લોકો ઘાયલ, હોસ્પિટલ પહોંચી મોદીએ ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા
વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં જિલ્લા હોસ્પિટલમાં તે સમર્થકોને મળવા પહોંચ્યા, પીએમની ખેડૂત રેલીમાં પંડાલ પડવાથી ઘાયલ થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળના મિદનપુરમાં મોદીની સભા દરમિયાન પંડાલનો એક ભાગ પડી ગયો હતો પરિણામે 25 લોકો ઘાયલ થયા હતા જેઓને સારવાર માટે મિદનાપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોદીએ જેવો જ પંડાલને પડતાં જોયો તેઓએ પોતાના ભાષણને રોકી દીધું હતું અને SPG જવાનોને તાત્કાલિક મદદ કરવાનું કહ્યું હતું. માટી ભીની હોવાને કારણ આ દૂર્ઘટના થઈ હતી.