Shrey Hospital
- અમદાવાદનાં નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલ (Shrey Hospital) માં ભીષણ આગ લાગી છે.
- આ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે.
- આઈસીયુમાં (ICU) દાખલ 8 દર્દીઓનાં આગને કારણે કરૂણ મૃત્યુ નીપજ્યા છે.
- પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
- જ્યારે હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
- મળતી માહિતી પ્રમાણે, નવરંગપુરામાં AMC દ્વારા કોરોના માટે ફાળવાયેલી (Shrey Hospital) માં ગત મોડી રાત્રે 3થી 4 વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી.
- ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
- જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
- Shrey Hospital માં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી.
- બીજી એક મહત્વની વાત એ છે કે આગની ઘટના બાદ ફાયરના 40 જવાનો હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
- આ ગોજારી ઘટનામાં જે 8 મૃતક દર્દીઓના મોત થયા છે.
- તેમનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે.
- એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
- ફાયર વિભાગની 1 ફાઇટર, 1 ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી.
- આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે.
- આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે.
- જેમને વી.એસ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
- તથા શ્રેય હોસ્પિટલના ચોથા માળે તમામ કાટમાળ બળીને ખાખ થઈ ગયો છે.
- શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગમાં મૃતકોના નામ આ પ્રમાણે છે.
નામ | ઉંમર | રહેઠાણ |
આયશાબેન એમ. તીરમિઝી | 51 | ડી-4, આલીફ એપાર્ટમેન્ટ, જૈન મર્ચન્ટ, પાલડી |
મનુભાઇ ઇશ્વરલાલ રામી | 22 | 42, આર. એમ.એસ સોસાયટી, મેમનગર |
જ્યોતિબેન વિષ્ણુભાઇ સિંધી | 55 | રાધે બંગલોઝ, રામરોટી રોડ, સિંઘી રોડ, ખેરાલુ, વિસનગર, મહેસાણા |
અરવિંદભાઇ ભાવસાર | 78 | ઈ-17, અક્ષત એપાર્ટમેન્ટ, મેમનગર |
નરેન્દ્રભાઇ એન. શાહ | 61 | શેઠ ફલી, ખરાકુવા, ધોળકા |
લીલાવતીબેન ચંદ્રકાંત શાહ | 72 | ધરણીધર ટાવર, વાસણા |
આરીફ અબ્દુલભાઇ મન્સુરી | 42 | ન્યુરેદલહી સોસાયટી, સોનલ સિનેમા, વેજલપુર |
નવનીતલાલ. આર. શાહ | 80 | શેઠ ફલી, ખારકુવા, ધોળકા |