Zydus Cadila
- બીજી સ્વદેસી કોરોના વેક્સિન પર કામ કરી રહેલ ડ્રાગ ફાર્મા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ બુધવારે જણાવ્યું કે, વેક્સિનના પ્રથમ ચરણનું ટ્રાયલ સફળ રહ્યું છે.
- તો ભારતની બીજી કોરોના વેક્સિનના પ્રથમ ચરણમાં માણસો પર પરીક્ષણ સફળ નીવડ્યું છે.
- કંપનીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે તેમની પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન-ઝાઇકોવ-ડી (ZyCoV-D) પ્રથમ ફેઝના ચરણમાં સુરક્ષિત ઉતરી છે.
- કંપની હવે ગુરૂવારે વેક્સિનના બીજા ચરણની ટ્રાયલ પર કામ કરશે.
- તેમજ કંપનીએ કહ્યું કે, તેઓ હવે 6 ઓગસ્ટથી ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરશે.
- ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ જણાવ્યું કે, 15 જુલાઈ, 2020 થી શરૂ થતા પ્રથમ દવા પરિક્ષણના તબક્કાના તંદુરસ્ત વોલેન્ટીયરને રસી આપવામાં આવી હતી.
- જેની અસર સારી થઈ છે. અને આ રસી પ્રાણીઓમાં એન્ટિબોડીઝને તટસ્થ કરવામાં સક્ષમ છે.
- તેમણે જણાવ્યું કે મોટી આબાદીમાં કોરોના વેક્સિનની સલામતી અને ઇમ્યુનોઝેનિસિટીના મૂલ્યાંકન માટે તેમની કંપની મૂલ્યાંકન કરવા માટે તત્પર છે.
- તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રથમ ચરણના ટ્રાયલમાં તમામ વિષયો પર ક્લીનિકલ ફાર્માકોલોજિકલ યૂનિટમાં 24 કલાક બાદ સુરક્ષા માટે પોસ્ટિંગ થઈ.
- તથા તેના પછી સાત દિવસો સુધી રસી આપવામાં આવી હતી
- તેમજ આ રસી ખુબ જ સુરક્ષિત જોવા મળી.
- ઝાયડસ કેડિલા (Zydus Cadila) તરફથી આ નિવેદન ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદના મહાનિર્દેશક બલરામ ભાર્ગવના નિવેદનનાં એક દિવસ બાદ આવ્યું છે.
- તેમણે જણાવ્યું હતું કેસ, Zydus Cadila દ્વારા ડીએનએ વૈક્સિનનું પ્રથમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઇ ગઇ છે
- અને આગામી ફેઝના ટ્રાયલ માટે 11 જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ કોરોના વેક્સિનને પ્રી-ક્લીનિકલ ટ્રાયલમાં સુરક્ષિત નિવડી હતી.
- પ્રી-ક્લીનિકલ ટેસ્ટમાં આ વેક્સિને સફળતા મેળવી હતી.