Purse
ગ્રહોની ખરાબ દશા ચાલતી હોય તો હાથમાં આવેલ પૈસા જતા રહે છે અને માણસને કંગાળ બનાવી દે છે. આવી સમસ્યાને દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક અચુક ઉપાય દર્શાવ્યા છે. જેનાથી તમારી સામે ક્યારેય ધનની અછત નથી આવતી તિજોરી છલોછલ રહે છે. તથા હંમેશા લક્ષ્મી માતાના ચાર હાથ રહે છે.
ચાંદીનો સિક્કો
જો તમારી પાસે કોઈ ચાંદીનો સિક્કો છે, તો તેને પર્સ (Purse) માં રાખવાથી પૈસા મળે છે. પરંતુ ચાંદીનો સિક્કો પર્સમાં મૂકતા પહેલા તેને ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના ચરણમાં રાખો. પૂજા ક્રયા પછી જ તેને પર્સમાં સાથે રાખો કેમકે ચાંદીનો સિક્કો પર્સમાંથી ખોવાઇ જાય તો ખુબ મોટુ નુકસાન થાય છે.
લાલ રંગનો કાગળ
આ એક અચુક ટોટકા છે. એક લાલ કાગળમાં તમારી ઇચ્છા લખીને રેશમી દોરથી કાગળને બાંધીને પર્સ (Purse) માં રાખી દો. આવુ કરવાથી તમારી ઇચ્છાઓ જરૂર પૂરી થશે.
અક્ષત
ચોખા શાસ્ત્રોમાં અનાજ અને પૈસા બંને એકસરખા હોવાનું કહેવાય છે. જો તમે પર્સમાં એક ચપટી ચોખા રાખશો તો તમારા ખોટા ખર્ચ ઘટાડે છે. તથા તમને ક્યારેય પૈસા ગુમાવવા દેતો નથી. આ ઉપાય જરૂર અજમાવી જુઓ.
દર્પણ અથવા લોખંડની વસ્તુ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચનો ટુકડો અથવા નાનું ચપ્પુ પર્સમાં રાખવુ જોઈએ. આનાથી સંપત્તિ વધે છે. આ સિવાય તમે ગોમતી ચક્રને પર્સમાં રાખી શકો છો.
માતા લક્ષ્મીની તસવીર
માતા લક્ષ્મીનો ફોટો તમારા પર્સમાં રાખો, જેમાં તે બેઠેલી મુદ્રામાં છે. આવુ કરવાથી તમને ક્યારેય પૈસાની કમી રહેશે નહીં.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.