airport
છેલ્લા આઠ મહિનાથી અમદાવાદ એરપોર્ટ (airport) ને હસ્તગત કરવા માટેની કામગીરી ચાલી રહી હતી. અમદાવાદ એરપોર્ટ સહિત સાત એરપોર્ટનુ ખાનગીકરણ કરાયુ છે. જો કે, આ દરમ્યાન કેટલીક અડચણો પણ આવી હતી.
અમદાવાદનુ એરપોર્ટ (airport) ૧૦ નવેમ્બરથી સત્તાવાર રીતે અદાણી ગ્રુપ પાસે જતુ રહેશે. તેમજ એરપોર્ટની કોન્ટ્ક્ટ મુજબ કામગીરી સમજવા માટે અદાણી ગ્રુપના અધિકારીઓ એરપોર્ટની બિલ્ડીગમાં ચાર્જ પણ સંભાળી લીધો છે.
એટીસી એટલે એર ટ્રાફિક કંટ્રોલ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી પાસે રહેશે. અમદાવાદ એરપોર્ટનો મેઇનટેન્શન અને કોમ્યુનિકેશનનો કોન્ટ્રાકટ અદાણી ગ્રુપ પાસે છે. સૂત્રો મુજબ, અમદાવાદના એરપોર્ટ પર જેટલા પણ પ્રાઇવેટ કોન્ટ્રાકટ છે તે આપોઆપ અદાણી ગ્રુપ પાસે જતા રહેશે.
અદાણી ગ્રુપના અધિકારીઓ આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સત્તા અને નવો કોન્ટ્રાક્ટ આપવો કે નહિ તે નક્કી કરશે. એરપોર્ટમાં કેટલાક બદલાવ પણ કરવામા આવી શકે છે. ઉપરાંત નોન પ્રાઇવેટ એરપોર્ટ પર એરપોર્ટ (airport) ના કર્મચારી કે અધિકારીઓની બદલી થઇ શકે છે. તા.૧૦ નવેમ્બરથી મોટી સંખ્યામાં અદાણી ગ્રુપનો સ્ટાફ એરપોર્ટ પર આવી જાય ત્યાર પછી કોઇ સમસ્યા નહિ તે માટે અત્યારથી આ વિષય પર ચર્ચાઓ ચાલી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.