Hathras
ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં કથિત રીતે ગેંગરેપ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે.
યોગી સરકારએ દાવો કર્યો છે કે તેઓ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ સીબીઆઇ તપાસનું નિરીક્ષણ કરે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે પરિવારના સભ્ય ભવિષ્યમાં હિંસાના અણસારને જોતાં અડધી રાત્રે અંતિમ સંસ્કાર માટે સહમત થયા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાયમ રાખવા માટે આવું કરવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં દુષ્કર્મનો ઉલ્લેખ નથી કર્યો. તેણે પોતાના બીજા નિવેદનમાં દુષ્કર્મના આરોપ લગાવ્યા અને તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી.
યોગી સરકારે અડધી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરવાનું કારણ જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા કે આ મુદ્દાને લઈ સવારે મોટા પાયે તોફાનો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સવાર સુધી રાહ જોતા તો સ્થિતિ અનિયંત્રિત થઈ શકતી હતી. રાજ્ય સરકારે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇની તપાસ થાય કારણ કે ખોટા નેરેટિવના માધ્યમથી તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ થઈ શકે છે.
#Hathras case: District administration convinced parents of deceased to cremate her at night to avoid large scale violence in the morning, UP govt in affidavit to SC; cites intelligence inputs of possible assembly of lakhs of protesters & issue being given caste/communal colour https://t.co/9CshGV3x0p pic.twitter.com/twkJ6yqeyc
— ANI (@ANI) October 6, 2020
19 વર્ષીય દલિત યુવતીની સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની સીબીઆઈ તપાસ કે એસઆઇટી તપાસની માંગ કરવાની જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.