Ban fireworks
પર્યાવરણ અને વન મંત્રાલય તથા ચાર રાજય સરકારોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જાહેર આરોગ્ય અને પર્યાવરણના હિતમાં 7 નવેમ્બર થી 30 નવેમ્બર દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ (Ban fireworks)મૂકવો જોઈએ કે કેમ એવું જાણવા માગતી નોટિસ પાઠવી છે.
આ મુદ્દે મદદ કરવા માટે ગ્રીન ટ્રિબ્યુનલે વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજ પંજવાણી અને ધારાશાસ્ત્રી શિવાની ઘોનીની નિમણૂંક કરી છે. સંતોષ ગુપ્તા મારફત કરેલી અરજીની સુનાવણી ટ્રિબ્યુનલ, ઈન્ડિયન સોશ્યલ રિસ્પોન્સિબિલિટિ નેટવર્કે હાથ ધરી રહી છે. ટ્રિબ્યુનલે સેન્ટ્રલ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ, દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી, દિલ્હી પોલીસ કમિશનરને પણ એમનો પ્રતિભાવ જણાવવા કહ્યું છે.
ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ.કે. ગોયલના નેતૃત્વયુક્ત બેન્ચે નોટિસ અંગે પર્યાવરણ અને વન મંત્રાલય ઉપરાંત દિલ્હી સરકાર, હરિયાણા સરકાર, ઉત્તરપ્રદેશ સરકાર અને રાજસ્થાન સરકારનો પ્રતિભાવ જાણવા માગ્યો છે.
આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો
આ અરજીમાં કોરોના ઉપદ્રવ ફેલાવાના ડરથી નેશનલ કેપિટલ રીજન (NCR) વિસ્તારની હવાની ગુણવત્તા અસંતોષકારક છે એવા સમયે ફટાકડાના ઉપયોગથી થનારા પ્રદૂષણ સામે પગલાં લેવાની માગણી કરાઈ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.