Ankleshwar
શાળાના એક શિક્ષકે ક્લાસના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરતા વાલીઓ રોષે ભરાયા. અંકલેશ્વર (Ankleshwar) ના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના એક શિક્ષકે શાળાના ઓનલાઇન ક્લાસના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરતા વાલીઓ દ્વારા શિક્ષકને માર મારવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે માહિતી મળતા અંકલેશ્વર GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.રાકેશ ચોબે નામના શિક્ષકે ગ્રુપમાં અશ્લીલ તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીર જોતાની સાથે જ વાલીઓ રોષે ભરાયા હતા. મોટા પ્રમાણમાં શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
પ્રિન્સિપાલ સમક્ષ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. જીઆઇડીસી પોલીસ દ્વારા શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.
આ પણ જુઓ : કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ, ગણેશ અને શિવજીની પ્રતિમા તોડી
આ અંગે એક વાલીએ જણાવ્યું કે, ધોરણ 8-10નાં ગ્રુપમાં ખુબ જ બિભત્સ તસ્વીરો આવી હતી. જેના કારણે અમે શાળાએ પહોંચ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ આવીને શિક્ષકને લઇ ગઇ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.