પાટણ શહેરના વોર્ડ નં.૯માં આવેલા રાધનપુરીવાસમાં રહેતાં પટણી વેલજીભાઈ વાલજીભાઈ અને તેઓના પત્ની શાકભાજીનો ધંધો કરવા સંખારી ગામે જતા હતા.
ત્યારે ર૮મી મેના રોજ પણ બંને પતિ-પત્ની સંખારી ગામે શાકભાજી વેચવા ગયા હતા ત્યારે બપોરના સુમારે પટણી વેલજીભાઈને તેમની ધર્મપત્નીએ ઘરે જવાનું કહેતાં તેઓ સંખારી ગામેથી નિકળી ગયા હતા અને રાત્રે વેલજીભાઈની પત્ની શાકભાજી વેચીને પોતાના નિવાસ સ્થાને આવતાં તેઓના પતિ ઘરે આવ્યા ન હતા.
આમ પટણી વેલજીભાઈ ર૮મી મેના રોજથી ગુમ થઈ ગયા હતા તેની શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન આજરોજ સંખારી ગામે આવેલા એક અવાવરુ જગ્યાએથી તેઓની મૃત હાલતમાં લાશ મળી આવી હતી.
જેથી વોર્ડ નં.૯ના નગરસેવક દેવચંદભાઈ પટેલ સાચા અર્થમાં નગરસેવક બનીને પોતાના વોર્ડ વિસ્તારના લોકો સાથે સંખારી ગામે ઘટનાસ્થળે જઈ લાશનું પંચનામુ કર્યા બાદ તેઓની લાશને પીએમ અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ થઈ ગયા સુધી તેઓ હાજર રહીને તમામ વહીવટી પ્રકિ્રયા પૂર્ણ કરાવતાં દેવીપૂજક સમાજમાં તેઓની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
- રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે: ભૂવાની મેલી મુરાદ પૂરી ન થતાં યુવતીએ પગલું ભર્યું.
આ ઘટના સંદર્ભે દેવચંદભાઈ પટેલે ર૮મી મેના રોજથી ગુમ થયેલા પટણી વેલજીભાઈની મૃત હાલતમાં લાશ સંખારી ગામેથી મળી આવતાં તેને પીએમ અર્થે પાટણ સિવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.