પાટણમાં સુજલામ સુફલામ જળ સંચય યોજનામાં તળાવ ઊંડા કરવાની ગામડાઆેમાં ચાલતી કામગીરીમાં એજન્સી દ્વારા સરકારના પરિપત્રનું પાલન ન કરી ગેરરીતી આચરવામાં આવી હોઈ તેની તપાસ કરી કાર્યવાહી કરવા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા કલેકટર સહીતના અધિકારીઆે અને ધારાસભ્યને રજુઆત કરી છે.


પાટણમાં વર્ષ ર૦ર૧ તથા છેલ્લા પાંચ વર્ષમાં પાટણ વિભાગમાં આવતી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરવામાં આવેલ તળાવની કામગીરીમાં ગેરરીતીઆે અને સરકારના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી.


એજન્સી અને પાટણ િસચાઈ વિભાગના અધિકારીઆેના મેળાપીપણામાં પાટણ, સરસ્વતી, હારિજ, સમી ,રાધનપુર સાંતલપુર અને સિદ્ઘપુર તાલુકામાં કરેલા ઉંડા તળાવના ખોદકામમાં માપ કરતા વધુ બીલો બનાવી અધિકારીઆે અને એજન્સીએ સરકારી તિજોરીને મોટું નુકસાન કરવામાં આવ્યું હોવાના

આક્ષેપો કરી પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા કલેકટર ,પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિતના સંલગ્ન અધિકારીઆે અને પાટણ ધારાસભ્યને આવેદનપત્ર આપી તાત્કાલિક ગેરરીતિ મામલે ખાતાકીય તપાસ સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024