પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર અર્થઆવતા હોય છે ત્યારે ધારપુર મેડિકલ કોેલેજ ખાતે આવેલા દર્દીઓને જન્મ-મરણના દાખલાઓ પણ ધારપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને જ આપવાની સત્તા હોય છે
ત્યારે માંડોત્રી સેજાના તલાટી કમ મંત્રીની જગ્યા છેલ્લા બે વર્ષથી ખાલી હોવાથી પાટણ જિલ્લામાંથી દૂર દૂરથી આવતાં દર્દીઓને જન્મ-મરણના દાખલાઓ માટે ધરમધકકા ખાવાની ફરજ પડી રહી છે.
ત્યારે આજરોજ ધારપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત દૂર દૂરથી આવેલા અરજદારોએ પાટણ કલેકટરને આવેદનપત્ર પાઠવી માંડોત્રી સેજામાં કાયમી તલાટી કમ મંત્રીની જગ્યા ભરવા રજૂઆત કરી હતી.