બનાસકાંઠામાં (Banaskantha) થરાદ- ધાનેરા હાઇવે (Tharad Dhanera highway) પર પાવડાસણ પાટિયા પાસે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. થરાદ ધાનેરા હાઇવે પર અલ્ટો કાર અને ટ્રેકટર ટ્રોલી (car tractor) વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે બાળકો સહિત 5 લોકોના મોત (death in accident) થયા છે. જ્યારે 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેક્ટરની પાછળ કાર ધૂૂસી ગઇ હતી
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે, રવિવારે થરાદ ધાનેરા હાઈવે જોરપુરા પાટિયા નજીક અલ્ટો કાર ટ્રેકટર ટ્રોલીની પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતાં 108 તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મૃતકોના નામ
1. ગેમરાજી જુમાજી (ઉં.વ 55)
2. ટીપુંબેન ભમરજી (ઉં.વ 7)
3. શૈલેષભાઇ ભમરાજી (ઉં.વ 2)
4. રમેશભાઈ બળવંતજી (ઉં.વ 35)
5. અશોકભાઈ ઠાકોર જડિયાળી
ધાનેરા પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ આદરી છે. આ અકસ્માત અંગે પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, ખેડાનો એક પરિવાર ભાખડીયાલ જઇ રહ્યો હતો. 4 મૃતકો ભાખડીયાલના અને 1 મૃતક જડિયાલીનો રહેવાસી હતો. હાલ અકસ્માતને પગલે પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.