- અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે થલતેજ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. આ જગારધામ માલેતુજાર બંગલામાં રહેતી મહિલા ચલાવતી હતી. તે વિધવા હોવાથી આ જુગારધામ ચલાવતી હોવાની પોલીસને શંકા છે.
- થલતેજમાં આવેલા ગોયલ ઇન્ટરસિટી ફ્લેટની સામેનાં સુરધારા બંગલોના મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા હોવાની વસ્ત્રાપુર પોલીસને જાણ મળી હતી.
- પોલીસે ત્યાં જઇને દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન ઘરની બહાર એક મહિલા બેઠી હતી અને અંદર કેટલાક લોકો જુગાર રમતા હતા. પોલીસે રેડ કરીને મકાન માલિકની ધરપકડ કરી હતી. આ સાથે જુગાર રમનારાની પણ ધરપકડ કરી અને તેમની પાસેથી રોકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
- પોલીસના જણાવ્યા અનુસાર મીનાબહેન પંજાબીનાં પતિનું મૃત્યુ થયું છે. માટે કોઇ આર્થિક સહારો ન રહેતા તેઓ આ લોકોને ઘરમાં બોલાવી જુગાર રમાડતા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News