Ahmedabadફાઈલ તસ્વીર

Ahmedabad

અમદાવાદ (Ahmedabad)માં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારને પાર થઈ ગયા છે. ઉપરાંત અમદાવાદમાં સતત જતા માઈક્રો કન્ટેનમેન્ટ વધતા જઈ રહ્યા છે. ગઈ કાલે 28 સ્થળો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા હતા. તેમજ 24 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ અસર વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળી છે.

વસ્ત્રાલની આઠ સોસાયટીઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂકવામાં આવી છે. આ વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે.

આ પણ જુઓ : Sushant Singh Rajput ના પરિવારએ લીધો આ મોટો નિર્ણય

વસ્ત્રાલની આઠ સોસાટીની વાત કરીએ તો સામ્રાજ્ય ટેનામેન્ટના ઘર નંબર 25થી 35, અત્રી રેસિડેન્સીના A અને B બ્લોક, અયોધ્યા પાર્કના B-1 થી B-12 ,સુરમ્ય એલિગેન્સના I અને H બ્લોક, ઓમ એફોર્ડનો B બ્લોક, શિવ મંદિરનો A બ્લોક, યમુના પ્ર્કના ઘર નંબર 1થી 50 અને માનસરોવર હાઇટ્સનો A બ્લોક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયો છે.

આ પણ જુઓ : LAC પર પરિસ્થિતિને લઇ સેના પ્રમુખ નરવણેનું નિવેદન

આ ઉપરાંત ઘોડાસર સ્થિત એવલોન 1 સ્કીમમાં 1385 રહીશો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાંદલોડિયાની ચાર સોસાયટી પણ માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકવામાં આવી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024