• ફિલ્મ જગતના મોસ્ટ એલિઝેબલ બેચલર તેવા એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ ના લગ્ન નક્કી થઇ ગયા છે. ફિલ્મ પત્રકાર રાજીવ મસંદના તેમના ઓપન મેગેઝિનમાં લખ્યું છે કે આ બંનેના લગ્નનો મહિનો નક્કી થઇ ગયો છે. રાજીવ મસંદના કહેવા મુજબ ડિસેમ્બર 2020માં આ સ્ટાર લગ્ન બંધને બંધાશે. તેમણે જણાવ્યું કે બ્રહ્માસ્ત્રની રીલિઝ ડિસેમ્બરમાં છે અને તે પછી જ તેમના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે.
  • રણબીર અને આલિયાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણબીરના પિતાની ખરાબ તબિયતની વચ્ચે પણ બંને પરિવાર આ લગ્નને લઇને ઉત્સાહી છે. 4 ડિસેમ્બરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલિઝ થવાની છે. અને તે પછી સમય બગાડ્યા વગર આ બંને લગ્ન કરશે. આલિયા ભટ્ટે સંજય ભણસાળીની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અને તે પછી તે બ્રેક લેવાની છે. ગંગુબાઇ સિવાય આલિયા મુગલકાળને રજૂ કરતી ફિલ્મ તખ્તનો પણ ભાગ છે. અને તે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલની અલગી કડીમાં પણ નજરે પડશે.
  • તો બીજી તરફ રણબીર બ્રહ્માસ્ત્ર પછી કરણ મલ્હોત્રાની ફિલ્મ શમશેરામાં નજરે પડશે. અને તેપછી તે થોડો સમય પરિવારને આપશે તેમ મનાય છે. સાથે જ રિષી કપૂરની તબિયત પણ સારી નથી માટે રણબીર થોડો સમય પિતાને પણ આપવા માંગે છે. ત્યારે આ મેગેઝિનની વાત માનીએ તો રણબીર અને આલિયા આ વર્ષના અંતમાં લગ્ન બંધને બંધાઇ જશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024