Body of woman found under CTM bridge of Ahmedabad case solved

Ahmedabad : તાજેતરમાં જ અમદાવાદમાં સીટીએમ (CTM) એક્સપ્રેસ હાઈવે પરથી માનસિક અસ્થિર મહિલાનો મૃતદેહ મળી આવતાં અનેક તર્કવિતર્કો સર્જાયા હતાં. મૃતક મહિલાના ભાઈએ અજાણ્યા શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ થયા બાદ તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. હવે પોલીસની તપાસમાં આ મહિલાના હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો છે. 

મહિલાની હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ પૂર્વ પ્રેમી જ હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાને હાલના પ્રેમી સાથે આરોપી જોઈ જતા તેની સાથે મહિલાએ બબાલ કરી હતી. એ જ બાબતને લઈને હત્યા કરી આરોપીએ લાશનો નિકાલ કર્યો હતો.

પોલીસ ગિરફ્તમાં આવેલ આરોપીનું નામ શંકર ઉર્ફે ભુરિયો દેવીપૂજક છે. આરોપીએ ગત 8 એપ્રિલ મોડી રાત્રે તુલસીબેન મકવાણાની હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો. પોલીસે જ્યારે શંકર ઉર્ફે ભુરિયાની પૂછપરછ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે મૃતક મહિલાના આરોપી શંકર સિવાય અન્ય યુવક સાથે પણ બે વર્ષથી આડા સંબંધ હતા. હત્યાની થોડી મિનિટો પહેલા જ આરોપી શંકર મૃતક તુલસી અને તેના પ્રેમીને એકસાથે બેઠેલા જોઈ ગયો હતો. અને તે જ કારણે માથાકૂટ થતા બોલાચાલી થઈ હતી અને આરોપીએ મહિલાની હત્યા કરી નાખી હતી.

આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી શંકર ખોખરીયાવાળાને પાંચેક વર્ષ પહેલાં તુલસી સાથે આડા સંબંધો હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી તુલસીને વીરસિંહ નામના યુવક સાથે આડા સંબંધો હતાં. સાતમી એપ્રિલે રાતના સમયે ખારીકટ કેનાલ પાસે વીરસિંહ અને તુલસી બેઠા હતાં. ત્યારે તુલસીએ આરોપી શંકરને ત્યાંથી પસાર થતો જોયો અને તેને ઉભો રહેવા માટે કહ્યું હતું. તેણે વીરસિંહ અને તુલસી અહીં બેઠા છે એવી વાત ઘરે નહીં કહેવા માટે જણાવ્યું હતું. ત્યારે આરોપીએ કહ્યું હતું કે તુ વીરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શું લેવા દેવા. ત્યારે તુલસીએ તેને ધમકી આપી હતી કે જો મારા ઘરે ખબર પડશે તો તારી આવી બનશે. તેમ કહીને તુલસીએ આરોપીનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ આરોપીએ તુલસીનું ગળું દબાવીને પેડલ રીક્ષા પર ફેંકી દીધી હતી.

હત્યા અંગેનો ગુનો નોંધાતા પોલીસે તપાસ કરતા માત્ર એક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં પેડલ રિક્ષામાં આવી કોઈ મૃતદેહ નાખી જતું દેખાતુ હતું. માત્ર લાશના બે પગ અને પેડલ રીક્ષાના આધારે પોલીસે તપાસ કરી આરોપી સુધી પહોંચી હત્યાનો આ ભેદ ઉકેલ્યો છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024