ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ અને ભાજપ પક્ષના હોદેદારો અને કાર્યકરો દ્વારા પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ નવગજા પીરના મંદિર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના એક વર્ષ પૂર્ણ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલના કાર્યકાળના સફળતાના એક વર્ષ પૂર્ણ કરતા ચાણસ્મા ના નવગજા પીર ના મંદિર ખાતે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર અને ચાણસ્મા શહેર પ્રમુખ, નગરપાલીકા પ્રમુખ તેમજ ભારતીય જનતા પાટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જે કાર્યક્રમમાં પાટણ જિૡા ભારતીય જનતા પાટર્ીના પ્રમુખ દશરથજી ઠાકોર શહેર પ્રમુખ, મહામંત્રી તેમજ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મહિલા મોરચામાંથી જિલ્લા મંત્રી સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપિસ્થત રહ્યા હતા.