congress manifesto for gujarat election

congress manifesto for gujarat electionગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદાનો પટારો ખોલ્યો છે. આ મેનિફેસ્ટોને ‘બનશે જનતાની સરકાર’ નામ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.

જુઓ મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ

– ગુજરાતની ગૃહિણીઓને રૂ. 500 ના ભાવે ગેસ સિલિન્ડર
– વીજ બીલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી ચાર્જ માફ
– શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
– ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો મફત આપવામાં આવશે.
– દિવ્યાંગ, વિધવા, જરૂરતમંદ મહિલા, સિનિયર સિટીજન્સને માસિક રૂ. 2000 નું માસિક પેન્શન

– સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
– બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.૩૦૦૦ સુધીનું બેકારી ભથ્થું મળશે
– યુવાનોમાં રમતગમત માં શ્રેષ્ઠતા – પ્રોત્સાહન આપતી ‘જામ રણજી સ્પોર્ટ્સ નીતિ’
– આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ની તક થી વંચિત ના રહે તે જાતની નવી “મહાત્મા ગાંધી સર્વગ્રાહી શિક્ષણ નીતિ “ ઘડવામાં આવશે
– દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી
– દરેક નાગરિકને સરકારી / માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે
– એમ આર આઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી ટી સ્કેન,, લેબોરેટરી વગેરે તપસ પણ વિના મૂલ્યે
– કીડની, હાર્ટ, લીવર અને બોનમરોનું ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત

– ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે
– સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
– સરકારની જ પાક વીમા કંપની દ્વારા જ નવી પાક વીમા યોજનાનું અમલીકરણ
– ટેકાના ભાવે જ ખરીદી માટે એમએસપી કાયદો બનાવવામાં આવશે.
– નવેસરથી જમીનની વૈજ્ઞાનીક ધોરણે માપણી, જૂની માપણી રદ કરાશે
– કોંગ્રેસની સરકાર બનતા જ “કામધેનુ-ગૌસંવર્ધન યોજના” હેઠળ પ્રતિવર્ષ રૂ.1000 કરોડનું બજેટ
– માછીમારોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ
– આખા ગુજરાતમાં લારી, પાથરણા, ફેરિયા ભાઈઓને તંત્રની કનડગત અને હપ્તા રાજ તેમજ ધંધાની અસલામતીના ભયમાંથી મુક્ત કરાશે.
– આ પડકારોના સામના માટે કોંગ્રેસની સરકાર – જનતાની સરકાર શહેરના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી આવતા 25 વર્ષની જરૂરિયાતનો પ્લાન અને તેના સમયબદ્ધ અમલીકરણ નો નક્શો તૈયાર કરશે
– પાંચ વર્ષમાંમકાનો પૂરા પાડવા ‘ઘરનું ઘર’ યોજના શરૂ કરાશે. પાંચ વર્ષમાં 25 લાખ મકાનોનું નિર્માણ
– તાલુકા અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોને માનદ વેતન અપાશે.
– ગુજરાતના વંચિત અને શોષિત સમાજના લોકોના કલ્યાણ માટે અને વિવાદોના કાયમી નિવારણ હેતુ કોંગ્રેસ સરકાર કાયમી “અનામત આયોગ” ની રચના કરશે.
– આદિવાસી જિલ્લાઓમાં સેડ્યુઅલ – 5 ની જોગવાઈનો આદિવાસીઓના બંધારણીય અધિકારોના રક્ષણ માટે અમલ કરવામાં આવશે.
– આગામી બે વર્ષમાં ૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ૧૦૦૦ એકમોની સ્થાંપના
– ગુજરાતના આગામી 25 વર્ષની જરૂરિયાતનો સર્વગ્રાહી નક્શો તૈયાર કરાશે
– રાજ્યની તમામ નદીઓમાં પ્રદૂષણ મુક્ત કરવા માટેનો એક્શન પ્લાન

અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ સરકાર બને તો નાગરિક અને સરકાર બંને વાયદા ભૂલી જાય છે. રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કેબિનેટમાં મેનિફેસ્ટો મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ ગુજરાતમાં વાયદા પૂરા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું, જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવો, તેથી અમે એ પ્રમાણે કર્યું છે. સરકારવિરોધી જે લહેર ચાલે છે એમાં લોકોએ જોઈ લીધું છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. મોરબીની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. નિવૃત્ત જજ પાસે તપાસ કરવામાં તકલીફ શું છે? સરકાર સામે સવાલો કરશે તો બીજી વાર ઘટના નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024