- કોરોના વાઇરસ વિશ્વ મહામારીએ કોઈ જગ્યાએ પહોંચવાનું બાકી નથી રાખ્યું.
- જેલમાં પણ કેદી અને સ્ટાફ કોરોનાનાં શિકાર થઈ ગયા બાદ હવે જેલ તંત્ર એલર્ટ પર આવ્યું.
- તમને જણાવી દઈએ કે જેલમાં હાલ કેદીઓ માટે કોરોના બેરેક બનાવવામાં આવ્યું છે. નવા આવનાર કેદીઓને 15 દિવસ ત્યાં ક્વોરન્ટીન કરવામાં આવે છે.
- આવનારા સમયમાં મુખ્ય સેન્ટ્રલ જેલની બહારની જગ્યામાં કેદીઓને રાખવા માટે તૈયારી કરી દેવાઈ છે.
- અમદાવાદ સાબરમતી જેલમાં કેદીઓને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- સાબરમતી જેલમાં અન્ય કોઈ કેદીઓને કોરોનાની અસર ના થાય તે માટે જેલ તંત્ર દ્વારા હવે પછી આવનારા નવા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
- અમદાવાદ સાબરમતી જેલ આઇ જી મહેશ નાયકે જણાવ્યું હતું કે,અમે નવા આવનારા કેદી માટે જેલમાં એક નવી બેરેક બનાવવામાં આવી છે. જે અન્ય કેદીઓના સંપર્કમાં આવી ના શકે.
- જ્યારે નવા આવનાર કેદીઓને 15 દિવસ ફરજીયાત ક્વોરન્ટીન કરવામાં આવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News