Taarak Mehta

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta) શો સાથે જોડાયેલી રીટા રિપોર્ટર ઉર્ફ પ્રિયા આહૂજા રાજદાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયાએ પોતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં આપી છે.

રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહૂજા રાજદાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની એક તસવીર પોસ્ટ કરીને એક લાંબી નોટ શેર કરી છે. આ નોટમાં તેણે લખ્યું છે કે આ મારું કર્તવ્ય છે કે હું તમને બધાને સૂચિત કરું કે મારા કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં વાયરસના કોઇ લક્ષણ નથી. જે તમામ લોકો મારા સંપર્કમાં ગત 2-3 દિવસોમાં આવ્યા હોય તે તમામ પ્લીઝ પોતાની તપાસ કરાવો. હું હજી સુધી ઘરે જ હતી. શૂટિંગ પણ નહતી કરતી તેમ છતાં મને કોરોના થયો છે. પોતાને સુરક્ષિત રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલો. આ વાતને બિલકુલ હળવાશમાં ન લો. પ્લીઝ મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો.

પ્રિયા અહૂજા રાજદાની આ પોસ્ટ પછી Taarak Mehta શોના લીડ કેરેક્ટર જેઠા લાલ એટલે કે દિલીપ જોશીએ તેના પર લખ્યું કે તમે જલ્દી ઠીક થાવ તેના માટે હું પ્રાર્થના કરીશ. ધ્યાન રાખજો. અને જલ્દી ઠીક થઇ જાવ.

આ ઉપરાંત સમય શાહ, ઝીલ મહેતા પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયા આહૂજા રાજદા ગત નવેમ્બરમાં પુત્ર અરદાસને જન્મ આપ્યો છે. અને તે પ્રેગેન્સી પછીથી મેટરનિટી લીવ પર હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024