Survival certificate
કેન્દ્ર સરકારે પેન્શનરને હયાતીનું પ્રમાણપત્ર (Survival certificate) જમા કરાવવાના નિયમમાં છૂટછાટ આપી છે. જે મુજબ હવે પેન્શનર 31 ડિસેમ્બર સુધી પેન્શનર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નાગિરકોને રાહત આપી છે. અગાઉ આ મુદત લંબાવીને 30 નવેમ્બર કરાઈ હતી.
સાથે જ સરકારે પેન્શન આપતી સંસ્થાને સૂચન કર્યું છે કે વીડિયો આધારિત ઓળખની સંભાવના ચકાશે. જેથી વીડિયો દ્વારા જ પેન્શેનરની ઓળખ થઈ શકશે અને લાઈફ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થઈ શકશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.