Ram Mandir

Ram Mandir

રામ મંદિર (Ram Mandir) માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 15 તારીખથી દેશમાં ફાળો ઉઘરાવવા માટે અભિયાન શરુ કરાયું છે. જેની શરુઆત રાષ્ટ્રપતિના હાથેથી પાંચ લાખનો ચેક લઈને કરાઈ હતી. જયારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ એક લાખ રુપિયાનુ ડોનેશન આપ્યુ હતુ.

વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરીથી મંદિર માટે સહાય મેળવવા દેશ વ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત માત્ર 12 કલાકમાં જ મંદિર માટે કુલ 23 કરોડ રુપિયાનો ફાળો ભેગો થઈ ચુક્યા છે. મંદિર ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં મંદિર માટે 100 કરોડ રુપિયાની સહાય આવી ચુકી છે અને 45 દિવસમાં 2000 કરોડ રુપિયાનુ ડોનેશન મળે તેવી શક્યતા છે.

આ પણ જુઓ : વિધવાને થયો નણંદના દિકરા સાથે પ્રેમ, પાપ છૂપાવવા કર્યું ચોંકાવનાર કામ

31 જાન્યુઆરી સુધી તેનો પહેલો તબક્કો ચાલશે. આ અભિયાનમાં માત્ર એવા લોકોનો સંપર્ક કરાશે જે સમાજમાં ઓળખ ધરાવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે. બીજા તબક્કામાં 1 થી 27 ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે ફરીને રામ મંદિર માટે અભિયાન ચલાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024