Poshina

Poshina

ચાર દિવસ અગાઉ પોશીના (Poshina) ના ગણવાના જંગલમાંથી ઘાયલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. પોશીના પોલીસે નવજાતને સારવાર માટે ખસેડી બાળકને જન્મ આપનારને શોધવા તપાસ આદરી હતી.

ત્યારે તપાસ દરમિયાન એક વિધવા મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દીધી હોવાનું સામે આવ્યું હતું. 7 વર્ષ અગાઉ પતિના મૃત્યુ બાદ નણંદના દિકરા સાથે મહિલાને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધમાં વિધવા મહિલાને ગર્ભ રહી જતાં બાળકનો જન્મ થયો હતો. જેથી સમાજના ડરથી મહિલાએ બાળકને જંગલમાં ફેંકી દીધુ હતું.

આ પણ જુઓ : સુરતઃ જાહેરમાં એક યુવાન પર ચપ્પા વડે જીવલેણ હુમલો

પોલીસે પોશીનાના ગણવા ગામેથી વિધવા મહિલાની નવજાત શિશુ ત્યજી દેવાના ગુનામાં ઝડપી લીધી છે. આ મહિલાનો પતિ 7 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હતો. બાદમાં વિધવા મહિલાને તેના નણંદના દિકરા અમરત મશરુ પારઘી (રહે.ઘઉપીપળા, રાજસ્થાન) સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા મહિલા ગર્ભવતી થઈ હતી. જેથી સમાજના ડરના કારણે બંનેએ ભેગા થઈ બાવળની ઝાળીમાં ફેકી દીધુ હતું. આ હકીકત સામે આવતાં પોલીસે વિધવા મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવજાત બાળક ઘાયલ હાલતમાં મળતા પોલીસે બાળકને હિંમતનગર અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડી દીધુ હતું. પોશીના પોલીસે આ મામલે જણાવ્યું હતું કે બાળકની હાલત ખુબ જ ગંભીર છે અને હાલ તેને અમદાવાદ સારવાર માટે રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024