રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જીલ્લા દ્વારા થરાદ એસટી ડેપોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખી અને આયુર્વેદિક ઉકાળાનું કેમ્પ કરવામાં આવ્યો હતો અત્યારે ભાદરવો મહિનાની ઋતુ ચાલી રહી છે
જેમાં શરદી-ખાંસી જેવા અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે જેને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળો નું આયોજન કરવામાં આવ્યું હતું
આ આયુર્વેદિક ઉકાળા ના આયોજન થરાદ એસટી ડેપોના મેનેજર ભરતભાઇ ચૌધરી મનુભાઇ ત્રિવેદી રાજુભાઈ પુરોહિત, દિનેશગીરી ગોસ્વામી સહિતના અનેક આગેવાનો અને કર્મચારીઓ દવારા કરવામાં આવ્યું હતું.