Banaskantha

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ઇન્ચાર્જ વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા ની બદલી દસ્ક્રોઈ ના એસડીએમ તરીકે નિમણૂક થતા વિદાય સમારંભ યોજાયો હતો

જિલ્લા પુરવઠા અધિકારી ચાવડાની વિદાય પ્રસંગે જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા વિદાય સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે જિલ્લા એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને સાલ/ પાઘડી/તલવાર/ મોમેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

પ્રમુખ નિલેશભાઈ મોદી એ પ્રાસંગીક ઉદબોધન કરેલ. મેવાભાઈએ વિદાય પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરેલ. આભારવિધિ જિલ્લા એફ પી એસ એસોસિએશન મહામંત્રી કેશરસિંહ બાપુએ કરેલ. આ પ્રસંગે જિલ્લા ના પુરવઠા ઓફીસ અધિકારીગણ તાલુકા પુરવઠા મામલતદારઓ, ગોડાઉન મેનેજરઓ , ડોરશોપ કોન્ટ્રાકટર, જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશન હોદ્દેદાર તાલુકા પ્રમુખ/મહામંત્રી તેમજ હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા.

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી એ જિલ્લા ના તમામ FPS દુકાનદાર ની કોરોના સમય ની કામગીરી ને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024