Pavagadh Temple

Pavagadh Temple : પાવાગઢ દર્શને જતાં ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં ગુજરાત વિકાસ બોર્ડના સચિવની હાજરીમાં ગોધરા કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં વિકાસના કામો માટે બેઠકમાં ચર્ચા કરાઇ છે. જેમાં ખાસ કરીને પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા પર ચર્ચા કરાઇ છે. આ તરફ હવે યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી સમયમાં પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સમસ્યામાંથી શ્રદ્ધાળુઓને મુક્તિ મળશે. કારણ કે, પાવાગઢમાં જલ્દી જ મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવામાં આવશે.

આ અંગેની પણ ગતિવિધિઓ તેજ કરાઈ છે. સાથે પાર્કિંગની પણ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. જેથી હવેથી પાવાગઢ આવનારા શ્રદ્ધાળુઓને આ સમસ્યાથી જલ્દી જ મુક્તિ મળશે.

યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ સાથે માચીગામ ખાતે પાર્કિગ અને નવા ગેટ માટે ટેન્ડર પ્રક્રિયા કરાઇ છે. આ સાથે ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ નવા બનાવાશે તો પાર્કિંગ સાથે શૌચાલય અને વિસ્તારને રમણીય બનાવાશે.

નોંધનીય છે કે, પાર્કિંગ અને નેટવર્કના અભાવે મુલાકાતીઓને ભારે હાલાકી પડી રહી છે. આ સાથે મોબાઇલ નેટવર્ક ન મળતા લોકો અનેક વિસ્તારોમાં અટવાતા હતા.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024