Two more deaths due to heart attack in Patan city

મોહમ્મદ પઠાણ, પાટણ : તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી (Heart Attack) મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ શહેરમાંથી આજે વધુ એક સાથે બે લોકોની હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. પાટણ શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયાના પત્ની ઉર્મિલાબેન ડોડીયાનું હાર્ટ એટેકથી મોટ થયું હતું, તો બીજી ઘટનામાં પાટણ શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ પટેલના પત્ની ભાવિકાબેન પટેલનું પણ આજરોજ હાર્ટ અટેક આવતા મોથ થયું હતું.

નોંધનીય છે કે આ અઠવાડિયામાં અગાઉ પણ પાટણના વેપારીનું બાઈક લઇને આવતાં અઘાર પાસે હાર્ટ એટેકથી મોત થયું હતું. તો બીજી ઘટનામાં રાધનપુર એસટી ડ્રાઈવરનું ચાલુ બસે હાર્ટ એટેકથી મોત થયું હતું. મહિના પહેલા પાટણ શહેરમાં એક જ પરિવારના બે સગા ભાઈઓને બે કલાક ના અંતરે હાર્ટ એટેક આવતા મોત થયા હતા.

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. 

આ પણ વાંચો – હાર્ટ એટેકથી વધુ એક મોત : પાટણના વેપારીનું બાઈક લઇને આવતાં અઘાર પાસે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો – પાટણ : રાધનપુર એસટી ડ્રાઈવરનું ચાલુ બસે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો – પાટણ શહેરમાં એક જ પરિવારના બે સગા ભાઈઓને બે કલાક ના અંતરે હાર્ટ એટેક આવતા થયા મોત

તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો

તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રકારના બનાવોનું કારણ શોધવા માટે નિષ્ણાંતોની ટીમની રચના કરી છે. કોરોના પછી હૃદયરોગના હુમલાઓમાં વધારા માટે કોિવડ માટે લેવામાં આવેલી દવાઓ અને રસી તો જવાબદાર નથી એ પણ તપાસવામાં આવશે. લૉકડાઉનમાં ખાણીપીણી, રહેણીકરણીમાં આવેલા ફેરફારથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં પહેલીવાર હૃદયરોગના હુમલાઓના કારણોનો વ્યાપક સ્તરે અભ્યાસ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ને મેયોકાર્ડિયલસ ઇન્ફ્રેક્શન એટલે કે હૃદય રોગના વધી રહેલા કેસની તપાસ કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઇસીએમઆરે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ (એનસીડીસી)ની મદદથી આકસ્મિક મોતના કારણો તપાસવા માટે બે મૉડેલ અપનાવ્યા છે. બન્ને મૉડેલ હેઠળ અભ્યાસ માટે નિષ્ણાંતોની અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024