• દેશમાં અનલૉક-1ની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે.   
  • આ પેકેજમાં વિગતો આ મુજબ છે
  • આ પેકેજમાં વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની માફી આપવામાં આવશે.
  • રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના આશરે 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે.
  • તે ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ જો ૩૧ જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો તેમાં પણ 10%ની માફી આપવામાં આવશે.
  • માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. 
  • શ્રમિકોને ઘર બનાવવા માટે રૂપિયા 35 હજારની સબસીડી આપવામાં આવશે.
  • વેપારીઓને રૂપિયા 1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ ૩૧ જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને રાહત મળશે.  
  • વેરા સમાધાન યોજના-2019 હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે.
  • ખેડૂતોને દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે દર મહિને રૂપિયા 900 લેખે વાર્ષિક રૂપિયા 10800ની આર્થિક સહાય આપવામાં આવશે.
  • ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવશે.
  • નાના વેપારીઓને અપાતી લોન 1 લાખથી વધારીને અઢી લાખ સુધી કરાઈ છે. લોનનું 4% વ્યાજ સરકાર, તો 4% વ્યાજ લોનધારકે ભરવાનું રહેશે.
  • ટેક્સી,રિક્ષા અને લકઝરી બસો સહિતની પરિવહન સુવિધા માટે 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. 63 હજારથી વધુ વાહનચાલકોને ફાયદો થશે.
  • જીઆઇડીસી માટે રૂપિયા 460 કરોડ અને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20% માફ કરાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024