- કોરોના મહામારીને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને પછી હવે અનલોક-1 ચાલી રહ્યું છે,
- વડોદરા સહિત ગુજરાતના બે હજાર જેટલા કર્મચારીઓ કતારની ક્યુ કોન કંપનીમાં બે મહિનાથી ફસાઈ ગયા છે.
- કતારમાં બે મહિનાથી વગર પગારે ફસાયેલા આ ગુજરાતીઓની ધીરજ હવે ખૂટી છે.
- કતારમાં ફસાયેલા લોકો પાસેથી પૈસા તો ખુટી જ ગયા છે, તેની સાથે તેમને જમવાનું પણ સારૂ આપવામાં આવતું નથી.
- તેઓ અહીં ફસાયેલા હોવાથી તેમનો પરિવાર પણ ચિંતામાં છે.
- તેમના કહેવા પ્રમાણે ,પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવ્યા છે.
- ત્યારે ફસાયેલા કર્મચારીઓની ભારત સરકાર મદદ કરે તેવી આશા છે.
- તથા ફસાયેલા યુવકોએ જણાવ્યું હતું કે, અહીં એક મહિનાનું જ કામ હતું.
- તેમજ એ કામ પૂર્ણ પણ થઈ ગયેલ છે.
- કામ પૂર્ણ થયું હોવાથી તેમને કંપની દ્વારા રૂમ પર બેસાડી દેવામાં આવ્યા છે.
- આવીરીતે તેમને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે.
- એટલું જ નહીં પણ કંપનીએ બે મહિનાથી પગાર પણ બંધ કરી દીધો છે.
- આ પણ વાંચો: 8 જૂનથી અનલોક 1.0 માટેની ગાઇડલાઇન જારી.
- અમદાવાદમાં યોજાઇ સાદગી પૂર્વક ભગવાન જગન્નાથની જળયાત્રા.
- નિસર્ગની માઠી અસર: કેરીના પાકને થયું મોટું નુકસાન.
- તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં એક વંદે ભારત ફ્લાઇટ આપવામાં આવી છે, જેમાં પણ 25 લોકોના જ નામ છે.
- અને તેમાંથી પણ પાંચ લોકોના નામ કેન્સલ થઈ ગયા છે.
- તો હવે કતરામાં ફસાયેલા ગુજરાતીઓએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે અને તેમને ઝડપથી વતન લઈ જવાની પણ માંગણી કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News