- જિલ્લાના વિવિધ હોમગાર્ડ યુનિટ નાં ૧૩૫ જવાનોએ સ્વૈચ્છાએ રક્તદાન કર્યું..
ભારતીય બંધારણ નાં ધડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર ના ૬૬ માં મહા નિવાૅણ દિવસ નિમિત્તે સોમવાર ના રોજ પાટણ જિલ્લા હોમગાર્ડઝ યુનિટ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર સાહેબ ને પુષ્પાંજલિ અર્પણ કરી ધારપુર મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
૬ ડિસેમ્બરે બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરના ૬૬ માં મહા પરિનિવૉણ દિનની ઉજવણીની સાથે સાથે પાટણ જિલ્લા હોમગાડૅ યુનિટ નાં સ્થાપના દિન ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં ધારપુર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૩૫ હોમગાર્ડઝ જવાનો એ સ્વૈચ્છાએ પોતાનું રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો. દશરથજી ઠાકોર,હેડ ક્વાર્ટર અધીકારી દોલાણી, પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપ પુર્વ મહામંત્રી કે.સી.પટેલ ,ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામી, સુપ્રીટેન્ડેન્ટ ડો. મનીષભાઈ રામાવત, RMO હિતેષભાઈ ગોસાઈ ઈન્ચાર્જ વડા અને સહ પ્રાધ્યાપક પેથોલોજી વિભાગના ડો પીયુષભાઈ સોલંકી તથા પાટણ જિલ્લા ભાજપ મંત્રી જયરામભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામી દ્વારા તમામ હોમગાર્ડઝ જવાનો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી તો હોસ્પિટલ ના સુપ્રીટેન્ડેન્ટ ડો મનિષભાઈ રામાવત દ્વારા રક્તદાન કરનાર હોમગાર્ડઝ જવાનો ને ટોર્ચ(બેટરી) ભેટ અપૅણ કરાઈ હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પ માં જિલ્લામા કાયૅરત તમામ હોમગાડૅ યુનિટ નાં અધીકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.