- પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.
- રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં LoC પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવ્યા હતા.
- રક્ષામંત્રાલયના સૂત્રો પ્રમાણે ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
- વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર થયા હતા.
- પીઓકે સ્થિત નીલમ ઘાટીની ચોકીઓમાંથી શુક્રવારે રાત્રે પણ ભારતીય સીમામાં ફાયરિંગ થયું હતું.
- ત્યારબાદ અખનૂર સેક્ટરમાંથી પણ બન્ને પક્ષે ગોળીબાર થયો હતો જેમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.

- આ પહેલા સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે બુધવારે કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર હાલત ગમે તે સમયે ખરાબ થઈ શકે છે અને સેના કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
- ઘાટીની સ્થિતિમાં નિયંત્રણ મેળવી લીધુંસુરક્ષા બળોના આકલન પ્રમાણે સુરક્ષા બળોએ ઘાટીમાં ઘણી હદ સુધી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે.
- જોકે હજુ પણ સાવધાન રહેવાની જરુર છે જેથી માહોલ ખરાબ ના થાય.
- સૂત્રોએ જણાવ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ ઉપર બારીકથી નજર રાખવામાં આવી રહી છે અને વાસ્તવિક આકલનના આધારે એક-એક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.