Ahmadabad

પશ્ચિમ અમદાવાદ (Ahmadabad) માં ખાણીપીણી માર્કેટ અને નાઇટ લાઇફનાં કારણે જાણીતા વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવો યુવકને ભારે પડ્યો. અમદાવાદ (Ahmadabad) ના વસ્ત્રાપુર વિસ્તારમાં હથિયાર બતાવીને લૂંટ કરતી એક ટોળકી સક્રિય થઇ છે. જો કે, વસ્ત્રાપુર પોલીસ એક જ રાતમાં લૂંટના બે બનાવ બનતા દોડતી થઇ છે.

મળતી માહિતી મુજબ, મુળ ઝારખંડનાં રહેવાસી અને અત્યારે Ahmadabad ના ગોતામાં રહેતા પ્રભુકુમાર યાદવ પ્રહલાદનગર રોડ પર કંપનીમાં કામ કરે છે. તો ગત મોડી રાત્રે તેમની નોકરી પુરી કરીને તેમના સાથી કર્મચારી યુવતી સાથે નિકળ્યાં હતા.

જો કે, સાથી કર્મચારી પાસે વાહન નહી હોવાનાં કારણે તેને ઘરે મુકવા માટે જઇ રહ્યા હતા. તો રસ્તામાં વસ્ત્રાપુર આવતું હોવાને કારણે બંન્ને નાસ્તો કરવા માટે ત્યાં રોકાયા હતા. જો કે કોઇ લારી ખુલ્લી નહી હોવાના કારણે બંન્ને આલ્ફાવન મોલવાળા રોડના ફુટપાથ પર બેઠા હતા.

ત્યાં એક્સેસ લઇને આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી. દેશી કટ્ટા સાથે આવેલા આ શખ્સોએ તારી પાસે જે હોય તે આપી દે તેમ કહીને તેના લમણે બંદુક મુકી હતી. આ કારણે તેની પાસે રહેલા 500 રૂપિયા અને ફોનની લૂંટ ચલાવી હતી. તો જ્યારે યુવતી પાસે માંગ કરતા યુવતી રડવા લાગી હતી. જેથી તેનું પર્સ લઇને તે લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.

આ રીતે આશરે 24 હજાર રૂપિયાની માલમતા સાથે આ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત દશરથ પટેલ નામના વ્યક્તિને પણ ટાઇટેનિયમ સ્કવેર પાસેનાં સર્વિસ રોડ પરથી લૂંટી લીધો હતો. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024