ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેના પૂર્વ આજે ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું ભરાશે. તેમજ મંદિર પરિસરમાં ભગવાનના પાટા છોડવા સહીત વિવિધ ધાર્મિક વિધિઓ કરાશે.
પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની 4 જુલાઈ અષાઢી બીજના રોજ 137 મી રથયાત્રા નીકળનાર હોય તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો મંગળવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળમાં જતા મંત્રોચ્ચાર સાથે સત્કાર વિધિ મામેરાનાં યજમાન હિતેશ રાવલના નિવાસ્થાને કરાઈ હતી બુધાવરના રોજ સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને બલભદ્રને બાંધવામાં આવેલા આંખના પાટા છોડાશે અને પંચામૂર્ત દ્વારા મહાભિષેક કરાશે અને સવારે 10 થી 6 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે મોસાળમાં ભગવાન જગન્નાથના મામેરાને ખુલ્લું મુકાશે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/07/lord-jagannath-1531543015-lb.jpg?resize=640%2C368&ssl=1)
શહેરના રાજવી બંગ્લોઝ ખાતે યજમાન હિતેશ રાવલના નિવાસ્થાન ખાતે મોસાળમાંથી સાંજે 6:30 વાગે ભગવાન જગન્નાથનું શોભાયાત્રા રૂપે ભવ્ય મામેરું ભરાશે. જેમાં બે હાથી, 8 ઝાંખીઓ અને બગીઓ સાથે એકમ અને અષાઢી બીજના દિવસે ભગવાનને પહેરાવાના વસ્ત્રો, 3 મુગટ અને 3 સેટ સહીત આભૂષણો અને મંદિરને આપનાર 500 ગ્રામ ચાંદીની ભેટ મામેરામાં મુકાશે. આ મામેરું શોભાયાત્રા રૂપે શહેરના જાહેર માર્ગો પર ફરી મંદિર પરિસરમાં પહોંચશે તેવું મામેરાનાં યજમાન હિતેશ રાવલે જણાવ્યું હતું .
અષાઢી બીજે 12:39 કલાકે ભગવાન જગન્નાથ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરી મહાઆરતી બાદ 2 વાગે નિજ મંદિર પરિસરમાંથી નીકળશે અને શહેરના રૂટો પર ફરી રાત્રે 10 વાગે નિજ મંદિરમાં આવશે. આ રથયાત્રામાં 127 ઝાખીઓ હશે જેમાં 2 હાથી, 5 ઘોડા, 4 બગીઓ, 30 ટ્રેકટરોમાં વિવિધ ટેબ્લો, 3 બેન્ડ, 4 ડીજે, 8 ભજન મંડળીઓ સહિત મનોરંજન માટે રાક્ષસ સહીત વિવિધ વેષભૂષાના પાત્રો હશે, બ્રાન્દ્રાનું બેન્ડ પણ મંગાવ્યું છે અને ટ્રોન દ્વારા ભગવાન પર પુષ્પવર્ષા પણ કરાશે તેવું રથયાત્રા સમિતિ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પ્રેસ યોજી માહિતી આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી પિયુષ આચાર્ય, હર્ષદ રાવલ, કાંતિભાઈ રાવલ અને રથયાત્રા સમિતિના પ્રમુખ વિનોદભાઈ પટેલ, ઉપપ્રમુખ સંજય મોદી અને કિશોરભાઈ રાવલ સહિત હાજર રહ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.