Lalu Yadav

Lalu Yadav

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેતા લાલુ યાદવ (Lalu Yadav)ને ચારા કૌભાંડના પાંચ આરોપમાંથી ચાર આરોપો બાદલ જેલમાં હતા. જેમાંથી જામીન મળી જતાં સીબીઆઇ લાલુ યાદવના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

ડોરંડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર 139 કરોડ રૂપિયા કાઢવાનો આ કેસ છે. ચારમાંના ત્રણ કેસમાં લાલુ જામીન મેળવી ચૂક્યા હતા. દુમકા ટ્રેઝરીમાંથી 3.13 કરોડ રૂપિયા કાઢવાના કેસમાં લાલુને જામીન મળી જાય તો એ જેલમાંથી બહાર આવી જશે. આ કેસની સુનાવણી છઠ્ઠી નવેંબર પછી થવાની શક્યતા છે. દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદે મોટી રકમ ઉપાડવાના કેસમાં લાલુને બે કાયદા હેઠળ સાત વર્ષની જેલની સજા થઇ હતી.

આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ

સીબીઆઇ માને છે કે લાલુને વિવિધ કાયદા હેઠળ ઘણી સજા થઇ હતી જેમાંની કેટલીક સજા લાલુ યાદવે ભોગવી નથી. અત્યારે લાલુ દેવઘર ટ્રેઝરીમાંથી 79 લાખ રૂપિયા ઉપાડવાના કેસમાં જામીન પર છે. આ કેસમાં એમને સાડા ત્રણ વર્ષની જેલની સજા થઇ હતી. ચાઇબાસા ટ્રેઝરીમાંથી 33.13 કરોડ ઉપાડવાના કેસમાં પણ લાલુને ચાલુ માસની નવમીએ જામીન મળી ચૂક્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024