- દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં થતા વધારાના કારણે લૉકડાઉનમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.
- દેશમાં 4 મેથી 17 મે સુધી લૉકડાઉન યથાવત્ રહેશે.
- ગૃહ મંત્રાલયે દેશમાં બે અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
- આ વખતે લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. પણ પહેલાની જેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
- કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની ઘર વાપસી માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે.
- કોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ 3 મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે 17 મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News