Lunar eclipse : આ વર્ષનાં ત્રીજા ગ્રહણની અસર ભારત પર આવી હશે…

પોસ્ટ કેવી લાગી?

Lunar eclipse

  • વર્ષ 2020 નું ત્રીજુ ચંદ્રગ્રહણ (Lunar eclipse) રવિવાર, 5 જુલાઈએ ગુરુપૂર્ણિમાના દિવસે થવાનું છે.
  • તો એક મહિનાની અંદર આ ત્રીજું ગ્રહણ છે.
  • જો કે આ ગ્રહણ વાસ્તવિક ચંદ્રગ્રહણ નહીં પણ છાયા ચંદ્રગ્રહણ હશે.
  • આમ તો ધાર્મિક રીતે ચંદ્રગ્રહણ (Lunar eclipse) નું ખુબ મહત્વ હોય છે.
  • પરંતુ આ છાયા ગ્રહણ હોવાથી તેને પાળવાનુ રહેશે નહી.
  • ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 5 જુલાઈથી શરૂ થનાર છાયા ચંદ્રગ્રહણ સવારે 8.37 વાગ્યે શરૂ થઈને 11:22 વાગ્યે સમાપ્ત થશે.
  • 5 જુલાઈએ થનાર આ ગ્રહણ છાયા ચંદ્રગ્રહણ (Lunar eclipse) હશે.
  • શાસ્ત્રોમાં છાયા ગ્રહણને ગ્રહણ માનવામાં આવતું નથી.
  • તો આ દિવસે કોઈ પણ કામ કરવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
  • જો કે, જ્યોતિષીઓ ખૂબ કાળજી રાખવાની સલાહ આપે છે.
  • શુકલ પક્ષની પૂર્ણિમા, ધનરાશિમાં પૂર્વાષાઢા નક્ષત્ર દરમિયાન આ ગ્રહણ થશે.
  • તેમજ આ છાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.
  • આ ચંદ્રગ્રહણ અમેરિકા, દક્ષિણપશ્ચિમ યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે.
  • પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
  • આ ગ્રહણ દરમિયાન ક્યાંકથી ચંદ્ર કપાયેલો દેખાવાના બદલે, તે તેના સંપૂર્ણ કદમાં જોવા મળશે.
  • આ ગ્રહણ કાળ દરમિયાન ચંદ્ર ધન રાશિમાં રહેશે.
  • ચંદ્ર ગ્રહણ એક ખગોળકીય ઘટના છે.
  • જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી લાઈનમાં આવી જાય ત્યારે ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) થાય છે.
  • પરંતુ આ વખતે ચંદ્ર ગ્રહણ ઉપછાયા ગ્રહણ છે.
  • ઉપછાયા ગ્રહણ એટલે કે ચંદ્ર ગ્રહણમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી લાઈનમાં નથી હોતા.
  • પરંતુ એ રીતે હોય છે જેથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે.
  • તેથી તેને ઉપછાયા ગ્રહણ કહેવાય છે.
  • જો કે આ જ વર્ષે એક મહિના પહેલા એટલે કે 5 જૂને પણ ઉપછાયા ગ્રહણ લાગ્યું હતું.
  • આ વખતે ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) બાધ્ય ન હોવાથી તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ શાસ્ત્રોક્ત બાધા વગર પૂજા પાઠ કરી શકો છો. 
  • આ દિવસે મહાભારત અને અઢાર પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીની જયંતિ પણ મનાવવામાં આવે છે.
  • પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા અને દાનપુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. 
  • જ્યોતિષ શાસ્ત્રો અનુસાર છાયા ચંદ્રગ્રહણને ગ્રહણ તરીકે સ્વીકાર કરવામાં આવતું નથી.
  • તેને લીધે બાકીના ગ્રહણની જેમ, આ છાયા ચંદ્રગ્રહણમાં કોઈ સુતક અવધિ લાગશે નહી.
  • તો સુતક ન લાગતા મંદિરોના દરવાજા બંધ રહેશે નહીં
  • તથા પૂજા-પ્રાર્થના પ્રતિબંધિત રહેશે નહીં.
  • તેથી આ દિવસે તમે સામાન્ય દિવસની જેમ જ પૂજા પાઠ કરી શકો છો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures