આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયો પ્રારંભ
તબક્કાવાર મહા ઝુંબેશનું આયોજન કરી ૧૦૦% લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થી લાભાન્વિત કરવાનો નિર્ધાર
૪ મહિનામાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવ યોજાશે
રાજ્યના ૧ કરોડ ૧૮ લાખ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું
મહેસાણાના વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનો પ્રારંભ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિસનગર તાલુકામાં તા.૨૬ અને ૨૭ મી ફેબ્રુઆરીએ વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. આ ત્રિ-દિવસીય ઝુંબેશમાં વિસનગર તાલુકાના મહત્તમ લોકોને આયુષ્માન કાર્ડ કઢાવી પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા મેળવવા મંત્રી ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો હતો.
આ યોજનાનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર દ્વારા PMJAY અને મા યોજનાને સંકલિત કરીને PMJAY-MA યોજના અમલી બનાવવામાં આવી છે. રાજ્યભરમાં આપ કે દ્વાર આયુષ્માન મેગા ડ્રાઇવ અંતર્ગત નામાંકિત થયેલા ૮૦ લાખ કુટુંબો એટલે ૪ કરોડ લાભાર્થીઓને આ કાર્ડથી લાભાન્વિત કરવાની દિશામાં સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
જેના પરિણામ સ્વરૂપ ચાર મહિનામાં રાજ્યના ૧ કરોડ ૧૮ લાખ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું છે. મહેસાણા જિલ્લામાં અંદાજિત ૫૨% જ્યારે વિસનગર તાલુકામાં ૧૩ ટકા લોકોએ અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવ્યો છે. જિલ્લાના મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ નો લાભ મેળવે તેના પ્રયાસરૂપ આજે વિસનગર થી આ ત્રિ-દિવસીય મહા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ