Metro

કેન્દ્ર સરકારે અનલોક-4માં 7 સપ્ટેમ્બરે તબક્કાવાર મેટ્રો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરે મેટ્રો માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. કોરોનાના કારણે 25 માર્ચે આખા દેશમાં મેટ્રો (Metro) સર્વિસ બંધ કરી દેવાઈ હતી. તો સોમવારે દેશમાં પાંચ મહિના પછી મેટ્રો સર્વિસ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદમાં હવે ફરી લોકો મેટ્રો (Metro) ટ્રેનની સવારી કરી શકશે. આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફરીથી શરૂ થવા જઈ રહી છે. જો કે, અમદાવાદમાં મેટ્રો ટ્રેનની દરેક ટ્રીપમાં 90 પેસેન્જરને પ્રવેશ આપવામાં આવશે. પરંતુ આ માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આ સાથે જ માસ્ક કે ફેસ કવર પહેરવું ફરજીયાત રહેશે.

ટૂંકું ને ટચ: કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 કરી જાહેર

જો કે 25 માર્ચથી મેટ્રો બંધ રહેવાથી અત્યાર સુધીમાં રૂપિયા 16 લાખનું નુકસાન થયું છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન અને સ્ટેશન પર પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જેવી કે, કોચને સેનેટાઇઝેશન, સફાઇ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સ્ટીકરનું અમલીકરણ કરાયું છે.

Metro ટ્રેન 7-8 સપ્ટેમ્બરના રોજ 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 દરમિયાન દોડાવવામાં આવશે. તેમજ 9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11થી સાંજે 5 સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. તો 13 સપ્ટેમ્બરના NEET પરીક્ષા સમયે સવારે 7થી સાંજે 7 સુધી સેવા મળશે. 14 સપ્ટેમ્બરથી અગાઉ મુજબ સવારે 11 વાગ્યાથી સાંજના 5.10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024