Navratri 2020

નવરાત્રીમાં હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે.

નવરાત્રી ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી લેવી પડશે.

જેના અનુસંધાને નવરાત્રી પહેલા પોલીસ સ્ટેશનોમાં મંજૂરી માટે લાઇનો લાગી ગઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે.

સરકારી ગાઈડલાઈન મમુજબ સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024